Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ હોળી અને ધૂળેટીના તહેવારોમાં ખડે પગે ફરજ નિભાવશે.

Share

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા કોઈ પણ તહેવાર હોય કે પછી કોરોના જેવી મોટી મહામારીનો સમય હોય ઈમરજન્સી સેવા માટે હર હંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે, ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે ત્યારે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાની 19 જેટલી એમ્બ્યુલન્સ અને તેના 80 જેટલા કર્મચારીઓ સાથે 24 કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઉભા નજરે પડશે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

ત્યારે આજે ભરૂચ ૧૦૮ ના કર્મચારીઓએ ધુળેટી પર્વની આગતરી ઉજવણી કરી હતી, જેમાં કર્મચારીઓએ એકબીજા પર ગુલાલ લગાડી હોળી, ધુળેટી પર્વની એક શુભેચ્છાઓ આપી હતી, ૧૦૮ના કર્મીઓનું માનવું છે કે આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીમાં ૨૦ થી ૨૫ ટકાનો કેસોનો વધારો થઈ શકે તેમ છે, તેવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ ખડે પગે ઉભી રહી છે અને ઉભી રહેશે તેમ જાણકારી ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન…

ProudOfGujarat

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલકે પરીણિતા પર કર્યો હુમલો

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!