Proud of Gujarat
FeaturedGujaratINDIA

દયાદરા-દેરોલ સાઇટ પર મધમાખીઓના ઝુંડ એ કર્મચારીઓ પર આક્રમણ કરતાં 7 ને ઇજા.

Share

આજરોજ ક્રેયા ઇન્ફ્રાના કર્મચારીઓ દયાદરા-દેરોલ સાઇટ પર કામ કરતા હતા ત્યારે અચાનક મધમાખીઓના ઝુંડના આક્રમણનો ભોગ બનતા 7 જેટલા કર્મચારીઓને ડંખના કારણે ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 6 કર્મચારીઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને એક દર્દી હજી પણ સારવાર હેઠળ છે.

ડો. રિયાઝ પંચભાયાની સાથે 3 ડોકટર્સ અને 14 જેટલી સ્ટાફ નર્સ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ દર્દીઓને રાહત થઈ હતી. મધમાખીના 150 થી 200 જેટલા ડંખ દરેક કર્મચારીઓને લાગ્યા હતા અને કર્મચારીઓના શરીરના એકે એક અંગ માં ડંખના કારણે ઇજા થયેલ હતી. તાત્કાલિક સારવાર મળવાના કારણે દર્દીઓને રાહત થઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ સામે ભરૂચ નગરપાલિકાની ટીમ મેદાનમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!