Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

Share

યાત્રાધામ શુકલતીર્થમાં રામશીલા ચોક નજીક ડોડીયા ખડકીનાં પટાંગણમાં અખિલ વિશ્વા ગાયત્રી પરિવાર, શાંતિકુંજનાં સ્થાપના વર્ષને ૫૦ વર્ષ પૂર્ણ થતા “સુવર્ણ જયંતિ વર્ષ” ની ઉજવણી નિમિત્તે શુકલતીર્થ-ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તે પૈકી પૂર્વ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા.૧૧-૩-૨૨ ને શુક્રવારે સમગ્ર ગામના મુખ્ય માર્ગ ઉપર વિવિધ ઝાંખીઓ બનાવી યજ્ઞ સ્થળેથી બપોરના-૩ થી ૬ શોભાયાત્રા બાદ યજ્ઞ  સ્થળે યુગ સાહિત્ય દ્વારા વતમાન સમસ્યાઓનું સમાધાન વિષે યુગ સંગીત સાથે પ્રવચન, તા. ૧૨-૩-૨૨ ને શનિવારે સવારે ૯-થી ૧૨ યજ્ઞશાળા પ્રવેશ, અને ઉદ્ઘાટન, સિવિલ હોસ્પિટલ-ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ, અને ગાયત્રી યજ્ઞ તેમજ સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો  અને સાંજે ૬ થી ૭ શાંતિકુંજ – હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં યુગ સંગીત સાથે દીપ યજ્ઞ યોજાશે.  

તા.૧૩-૩-૨૦૨૨ ને રવિવારે ૯ થી ૧૨ ગાયત્રી યજ્ઞ, સદગુરુ ગ્રંથ સ્થાપન, વિવિધ સંસ્કારો, યજ્ઞ પૂર્ણાહુતિ તેમજ નારાયણ હોસ્પિટલ, ભરૂચના સહયોગથી મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચની ભોલાવ જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટનાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ : ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

ProudOfGujarat

અંકલેશ્વરનાં શાંતિનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!