Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર ભરૂચના વરેડિયા નજીક ટ્રેકટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા એક ઈસમનું મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રીના વરેડિયા નજીક એક કન્ટેનર ચાલકે વડોદરા તરફ જઈ રહેલા ટ્રેકટરને પાછળથી ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટરમાં બેસેલા કમલેશ અર્જુન સોલંકી રહે. વણસોલ તા. ઉમરેઠ જિ. આણંદ નાઓને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોનો બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતક કમલેશના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ મિશન અંતર્ગત યોજાનાર સંમેલનને સફળ બનાવવા વાંકલમાં ખેડૂત પશુપાલકોનું યોજાયું સંમેલન.

ProudOfGujarat

વડોદરાના ભાયલી અને બીલમાં 980 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

વર્લ્ડ કપ 2023 : ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે હાઈવોલ્ટેજ મુકાબલો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!