Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ…જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવાં દહેજ પંથકમાં તસ્કરોનો તરખાટ વધી ગયો છે. જેમ કે હાલમાં જ પણીયાદરા અને પાદરીયા ગામ વચ્ચે આવેલ સનસીટી સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવ્યા હતા. તસ્કરોના ચોરીના આતંકનો ભોગ બનેલ બે કુટુંબના રહીશોએ જણાવ્યું હતું કે તેઓ મકાન બંધ કરી બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એક મકાનમાંથી રૂ.20,000 કરતાં વધુ રૂપિયા ચોરાયા છે જયારે બીજા મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને નાણાં મળી કુલ રૂ.1,25,000 ની ચોરી થઈ હતી એમ રહીશોએ જણાવ્યું હતું.

અત્રે નોંધવું રહ્યું કે દહેજ ઔદ્યોગિક નગરી અને આજુબાજુના વિસ્તારમાં શ્રમજીવી કુટુંબો તેમજ નોકરિયાત વર્ગો રોજીરોટી અર્થે સ્થાયી થયેલ છે તેઓ ઘણીવાર પોતાના મકાનોને તાળાં મારી વતન તરફ જતાં હોય છે ત્યારે બીજી તરફ તસ્કરો બંધ મકાનોની રેકી કરતાં હોય તેમ બંધ અકનોની સંપૂર્ણપણે માહિતી રાખી બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન કેન્દ્રીત કરી ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

વલિયાના કોંઢ ગામની નવીનગરી ખાતે બે કાચા મકાનના છાપરા ધરાશાયી થતા ઘટનામાં બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!