Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

Share

ભરુચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે નબીપુર રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર ૧૬૫૩૩ જોધપુર – બેંગ્લોર ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવાન ઉ. વ. ૩૫ આવી જતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવક વિકૃત હાલતમાં કપાઇ જવા પામ્યો હતો. મૃતક યવકે ભુરા રંગનું સફેદ લીટીવાળુ શર્ટ તથા કાળા રંગનું જાકીટ પહેર્યું છે. ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામ ભાઈ રાજુભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું

ProudOfGujarat

આતંકવાદી ઘટનામાં શહિદ થયેલા જવાનોના નામ.

ProudOfGujarat

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!