Proud of Gujarat
GujaratFeaturedINDIA

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

Share

ઉત્તરાયણ પર્વ એટલે કે આકાશી યુદ્વનો પર્વ આ વર્ષે ભરૂચ જિલ્લામાં જામશે કે કેમ તે અંગે વિવિધ અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. ઉત્તરાયણ પર્વ અગાઉ જ ભરૂચ પથકમાં ચાઈનીઝ દોરાના કારણે ગળું કપાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. તે સાથે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં હવે મકરસ્ક્રાંતિના આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં હજી પતંગ બજારમાં કોરોના મહામારી અગાઉના વર્ષોમાં જે તેજી જણાતી હતી તેવી તેજી આ વર્ષે જણાતી નથી. તેવામાં ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે. આવા સમયે મંદી, મોંઘવારીના કારણે પણ હજી ભરૂચ પથકમાં ઉત્તરાયણ પર્વનુ વાતાવરણ જામ્યું નથી. પતંગોના વેપારીઓના જણાવ્યા મુજબ પતંગ અને માજાના ભાવોમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ મકરસક્રાંતિના પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 31 મી ડિસેમ્બરે જો દારૂ પી ને વાહન ચલાવ્યું કે પાર્ટી કરી તો પોલીસ છોડશે નહીં જીલ્લામાં કરોડોનો દારૂ ઝડપાયો હજારો લોકો પકડાયા અને અનેકો તડીપાર કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

પંચમહાલ મોરવા હડફના ગ્રામ્યવિસ્તારોમાં હવે કોરાના વાયરસના પગલે બહારગામના વ્યક્તિને NO ENTRY પ્રવેશરોડ પર ઝાડી ઝાખરાની આડાશ મૂકાઇ

ProudOfGujarat

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!