Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં એમ્બ્યુલન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ૧૦૮ ઈમરજન્સીનાં 90 કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી.

Share

ભરૂચમાં ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી લોકોનો જીવ બચાવવાનો ઉત્તમ કામ કરી રહી છે જ્યારે પણ કોઈ પણ ઇમરજન્સી આવે તો તે સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા હંમેશા લોકોના પડખે ઉભી રહે છે. કોરોનાની મહામારી હોય કે પછી માર્ગ અકસ્માત હોય પ્રસૃતિને લગતી ઈમરજન્સી હોય ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર રહે છે.

આજે 8 જાન્યુઆરી એમ્બ્યુલન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં 19 એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી તેમાં આવેલ માનવજીવન બચાવવાના સાધનોની પણ સાર સંભાળ લઇ આવનારા દિવસોમાં વધુ લોકોનો જીવ બચાવીશું એવી પ્રતિજ્ઞા કરી હતી. આ અંગેની જાણકારી ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ આરોગ્ય સંજીવનીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સચિન સુથાર તેમજ ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના સુપરવાઇઝર યુવરાજસિંહ પુવાર એ આપી હતી.

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી દરમિયાન મુખ્ય રસ્તાઓની સફાઈ કરાઈ.

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલમાં કડીવાલા ઘાંચી સમાજ ટ્રસ્ટ દ્વારા રોજગાર યોજના હેઠળ સહાય યોજના તેમજ વડીલોનું સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપત રાઠોડ નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!