Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન નજીક ગતરોજ મોડી સાંજે ટ્રેન અડફેટે એક અજાણ્યા આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ રેલવે કિમી નંબર ૩૫૦/ ૩૦ – ૩૨ ની વચ્ચે ટ્રેન નંબર ૦૯૧૧૧ ડાઉન ટ્રેનની આડફેટે એક આધેડનું શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ શાંતિલાલ વસાવાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. મૃતક રંગે ઘઉં વર્ણ ઉંચાઈ ૫ × ૫ બદનમાં કોફી ક્લરનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. મૃતકના વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સતીષ પટેલની વરણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ-હાર્દિકની ઉપવાસ છાવણી માટે નવો ડોમ તૈયાર કરાયો…

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી કાશો માં વગર વરસાદે વહેતા પ્રદૂષિત પાણી જે આસ પાસ ની ખાડીઓ ને પ્રદૂષિત કરી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!