Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શું આ છે સત્તાધારી પક્ષનું સ્વચ્છ ભારત અભિયાન..? : શક્તિનાથ સર્કલથી પાંજરાપોળ સુધી ઠેર-ઠેર ગંદકી જ ગંદકી..!

Share

ભાજપા સરકાર જયારથી સત્તા પર બેઠી છે ત્યારથી ભારતને સ્વચ્છ બનાવાનું મિશન હાથ ધર્યું છે ત્યારે 2014 થી સત્તાધારી પક્ષ ઠેર ઠેર લોકોને જાગૃત કરી રહયો છે કે સ્વચ્છતા જાળવો પણ શહેરોના પાલિકા તંત્રના લોકો જાણે ઊંઘી રહ્યા છે તેમ પાલિકાની હદ વિસ્તારમાં આવેલ કેટલાક વિસ્તારમાં હાલ પણ ગંદકી જ ગંદકી જોવા મળી છે.

દિવાળીના શુભ પર્વને શરૂ થવાને માત્ર એક અઠવાડિયું જ બાકી છે ત્યારે પંથકમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જયારે કોઈ સત્તાધારી નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ પાણીથી સાફ કરવામાં આવે છે અને એ વિસ્તારને ચમકાવી દેવામાં આવે છે ત્યારે શું આ જાહેર જનતા સાથે અન્યાય નથી… ટેક્સ સામાન્ય જનતાથી ઉઘરાવામાં આવે છે અને સવલતો મોટા નેતાઓને આપવામાં આવે છે.

ભરૂચના એક માત્ર શક્તિનાથ વિસ્તારની જ વાત કરીયે તો કચરા પેટી હોવા છતાં રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને પાલિકા દ્વારા તે વિસ્તારમાંથી કચરાપેટી તો ઉંચકી લેવામાં આવે છે પરંતુ આસપાસ પડેલા કચરાને ઉઠવામાં આવતો નથી. શું માત્ર પગાર પૂરતું અને જનતાને જણાવા પૂરતું જ કામ કરવામાં આવે છે. વાહનોના અવરજવરથી વિસ્તારમાં ગંદકી વધુને વધુ ફેલાઈ છે તયારે ત્યાંથી પસાર થતા લોકોને દુર્ગંધ સહન કરવી પડે છે તો દિવાળીના પવિત્ર અવસર પર ભરૂચના પ્રાંગણને સ્વચ્છ રાખવામાં આવે તેવી જાહેર જનતા માંગ કરી રહી છે.

રિધ્ધી પંચાલ, ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા કરજણ નદી મા ડેમ માથી ભારે પાણી છોડાતાં નદી કિનારે ના તડકેશ્રર મંદિર નો માર્ગ ધોવાયો

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં પીઠોર ગામથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!