Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

Share

આજરોજ પાલેજ જિલ્લા પંચાયત વિસ્તારના ટંકારીઆ
ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં સ્વજનોને મહામારી કાયદા હેઠળ મળવા પાત્ર રૂપિયા ૪ લાખની સરકારી સહાય આપવામાં સુપ્રીમકોર્ટનાં આદેશ હોવા છતાં સહાય આપવામાં ભાજપ સરકાર નાદારી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “કોવિડ ૧૯ ન્યાયયાત્રા” અંતર્ગત કોરોના મહામારીમાં મૃતકનાં પરિવારોને ૪ લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે અસરગ્રસ્ત પરિવારોને સહાય માટેના ફોર્મ ભરાવવામા આવ્યા.

કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ.

● કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.૪ લાખનું વળતર.
●કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલમાં રકમની ચુકવણી.
●સરકારી તંત્રીની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
●કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!