Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં તા. 28 એ કવિ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ યોજાશે.

Share

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તા.૨૮ ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ રાજ્ય સમસ્તની જેમ, ભરૂચ જિલ્લામા પણ ‘કસુંબીનો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભરૂચમાં તા.૨૮ ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહેશે તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહેશે.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન કવિ મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મહાનુભાવોના હસ્તે મેઘાણીજીના પુસ્તકોના સેટનું વિતરણ પણ કરાશે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે એમ આચાર્ય સરકારી ઈજનેરી કોલેજ દ્વારા જણાવાયું છે.


Share

Related posts

સુરેન્દ્રનગર થાનગઢ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે નેત્રયજ્ઞનું આયોજન સુરેન્દ્રનગર થાનગઢ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સાયલાના દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં આકાશમાંથી વધુ એક ગોળો પડતાં લોકોમાં ભય.

ProudOfGujarat

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!