Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ઓમકારનાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી સહીત એસ. ટી. બસ સેવાઓનું લોકાર્પણ કરાયું.

Share

સમગ્ર રાજ્યમાં વીજય રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ પૂરા થવાથી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે પાંચ વર્ષ આપણી સરકારના અંતર્ગત આજરોજ વિકાસ દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે સહીત ભરૂચ જિલ્લામાંથી અન્ય વિસ્તારો માટે નવી પાંચ એસ.ટી. બસો શરૂ કરવા અર્થે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના શક્તિનાથ વિસ્તાર ખાતે આવેલ પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિડીયો કોલના માધ્યમથી અમિત શાહ અને નીતિનભાઈ ગડકરી કાર્યક્રમ દરમિયાન જોડાયા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં કોરોના મહામરી દરમિયાન જે વિકાસ પર બ્રેક લાગી હતી તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભાવનગર : મહુવા તાલુકાના અમૃતવેલ ગામેથી ટ્રક સાથે વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- રેલવે અકસ્માત નો ભોગ બનેલા વ્યક્તિના પરિવાર ને જાગૃત યુવાનો દ્વારા આખા વર્ષનું અનાજ આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

ભરૂચ ના કતોપોર દાળાગલી સ્થિત કરિયાણા ની દુકાન અને અન્ય ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!