Proud of Gujarat
INDIAFeaturedGujarat

આખરે તંત્ર જાગ્યુ : ભરૂચ – અંકલેશ્વર ને. હા. 48 ના ખાડાઓ પૂરવાની કામગીરી હાથધરી.

Share

ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશલન હાઇવે નંબર 48 ઘણા સમયથી ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ તો ઉઘરાવામાં આવે છે પણ રસ્તાઓ ઉપર પડેલા મસમોટા ખાડાઓ પુરવામાં ન આવતા હોવાની લોકચર્ચાઓ ઉભી થઇ હતી. ત્યારે આખરે હાઇવે ઓથોરિટીએ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાઈ રહેલા ટ્રાફિકને કારણે લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.દરરોજ થઇ રહેલ ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળ્યા હતા જેની સામે હવે રાહતના સમાચાર આવ્યા હતા. રસ્તાઓ પર વહન કરતા મસમોટા વાહનોને કારણે રસ્તાની સ્થિતિ દયનીય બની હતી. જેમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેની સામે કલાકોનો ટ્રાફિક જામ રહેતો હતો. તો તંત્રને ઘણી રજુઆતો કર્યા બાદ ચોમાસાની સીઝન અડધી પુરી થઇ છે અને તંત્રએ આખરે કામગીરી હાથ ધરી છે. ઝાડેશ્વરથી મુલદ સુધીના માર્ગ પર રસ્તાઓનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, જાણો શું છે તલાટીઓના પડતર પ્રશ્નો..?

ProudOfGujarat

ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ, ભરૂચની બેંકોનું રૂ.૫૧૯૫.૦૭ કરોડનો ક્રેડિટ પ્લાન મંજુર કરાયો, કલેક્ટરનાં હસ્તે પ્લાનનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!