Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ખાતે તુલસીધામ પાસે આખલો 10 ફૂટના ખાડામાં પડયો : પગમાં ઈજા થતાં ગૌરક્ષકોએ આબાદ બચાવ કર્યો.

Share

ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી પાણીની ટાંકીની પાસે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાયું છે.

પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેની ફરતે સલામતીના ભાગરૂપે ફેન્સીંગ કે પતરા નહીં લગાવવામાં આવતા રવિવારની રાત્રીએ એક આખલો તેમાં ખાબક્યો હતો, જેના કારણે તેને પગમાં ગંભીર ઈજાઓ થતા તે ઉભો નહીં થઈ શકતા સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોને જાણ કરી હતી.

Advertisement

ઘટના અંગે જાણ થતાંની સાથે જ ગૌરક્ષકોએ સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પશુઓને સારવાર આપતી સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં આખલાને ચઢાવીને તાત્કાલિક સારવાર અર્થે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક ફેન્સીંગ લગાવાની માંગ કરી છે.


Share

Related posts

ભરૂચનાં પૌરાણિક નાંદ ગામ ખાતે નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવા ભક્તો ઉમટયા

ProudOfGujarat

અભિનેત્રી વરિના હુસૈન સાત શિપ્રા નદીને સાફ કરવા માટે ઉત્તરાખંડ વન વિભાગની યાત્રામાં જોડાય

ProudOfGujarat

નેત્રંગ : બલદવા-પીંગોટ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ નહીંવત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!