Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ફુરજા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક રથયાત્રા નીકળી.

Share

આજરોજ ભરૂચ ભોઇ સમાજના આગેવાનો દ્વારા ફુરજા વિસ્તારમાં ભગવાન જગન્નાથની પુજા અર્ચના કરી અને મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક કોરોના ગાઈડલાઇનનું પાલન કરીને રથયાત્રા કાઢવામાં આવી હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.

કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે તે તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ હતી. ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી. પરંપરાગત રીતે ભગવાની પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી.

દરેક જિલ્લાની જેમ ભરૂચ જીલ્લામાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ વડા સહિતના સ્ટાફએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને રથને મંદિર પરિસરમાં કાઢવામાં આવ્યું હતું, શ્રધ્ધાળુઓ અને ભક્તોએ મંદિર પરિસરમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ભગવાન જગન્નાથનાં દર્શન કર્યા હતા.

ભગવાન જગન્નાથની આરતી સમય દરમિયાન ભરૂચ ડી એસ.પી રાજેન્દ્રસિહ ચુડાસમા, એ.એસ.પી વિકાસ સુંડે અને પરમાર સાહેબ સહિત પોલીસ સ્ટાફે મંદીર પરિસરમાં ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો.

રિધ્ધી પંચાલ, ભરુચ

Advertisement

Share

Related posts

“ठग्स ऑफ हिंदुस्तान” ने सबसे महंगे आउटडोर शूट के साथ बनाया रिकॉर्ड!

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પરચાલકની બેદરકારીના કારણે ડીજીવીસીએલના આઠ વીજપોલ તૂટી પડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઈડ એરિયામાં લારી-ગલ્લાઓ હટાવવામાં આવતાં ગરીબોની રોજગારી છીનવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!