Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

Share

ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ઝાડેશ્વર મંદિર પાસે આવેલા ગાયત્રી મંદિર નદી કિનારે એક ગાય ચરી રહી હતી. તે સમયગાળા દરમિયાન ગાય અચાનક નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયએ ઘણું જોર લગાવ્યું હોવા છતાંય તે બહાર નીકળી નહીં શકતા થાકીને બેસી ગઈ હતી.

જેથી આસપાસના સ્થાનિકોએ સમગ્ર મામલે જીવદયાપ્રેમી સંસ્થા નેચેર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરી હતી. માહિતી મળતા જ બંનેય ટીમોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ગાયનું રેસ્ક્યુ કરીને અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી અને ગાયને સલામત રીતે બહાર કઢાતા સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ બજારમાં લોકોની ભીડ વધતાં પોલીસે સપાટો બોલાવી ભીડ દૂર કરી.

ProudOfGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

ProudOfGujarat

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!