Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેહુલિયો મન મૂકીને વરસ્યો : ભરૂચ શહેરમાં વટ સવિત્રીના રોજ વરસાદની તોફાની બેટિંગ : વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

Share

ભરૂચ નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે બંને જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે, આસપાસના અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લામાં મેઘ મહેર ઓછી રહી હોવાનું જણાયું હતું. બે-બે દિવસના અંતરે મેહુલિયો ઝાપટા સ્વરૂપે તો ક્યાક ધોધમાર વરસી રહ્યો છે. આજરોજ વટ સાવિત્રીનુ વ્રત હોવાથી મહિલાઓ વ્રતની પૂજા કરીને આનંદમય દિવસ જાય તે રીતનુ વાતાવરણ સર્જાઇ રહ્યુ છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં ધીમેધીમે ચોમાસાની ઋતુ જામી હોય તેમ વટ સવિત્રીના રોજ શહેરમાં પવનના સુસવાટા અને મેઘ ગાજ સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા નદીના પુરના પાણીમાં મગર તણાઇ આવતા ચકચાર, ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર દેખાયો મહાકાય મગર.

ProudOfGujarat

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

આ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા યોજાશે ? જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!