Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તૌકતે વાવાઝોડા બાદ સેફ એન્ડ સિક્યોર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેર તેમજ હાઇવે ઉપર લગાવવામાં આવેલ કેમેરાઓની દિશા બદલાઇ : તંત્ર નિંદ્રામા.

Share

સમગ્ર ભરૂચ શહેરમા લગભગ 2 વર્ષ અગાઉ જ CCTV કેમેરા લગાવવામા આવ્યા હતાં, તૌક્તે વાવઝોડાને 1 મહિના ઉપરનો સમય થઇ ગયો છે. ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાક સ્થળે તાઉ-તે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી.

સેફ એન્ડ સિક્યોર પ્રોજેકટ હેઠળ ભરૂચ શહેર અને હાઇવે ઉપર 580 લગાવેલા કેમેરા પૈકી કેટલાક 60 કી.મી ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં હલી ગયા છે. વાવઝોડાને 1 મહિનાનો સમય વીતી જવા છતા હજી ફરી ગયેલા કેમેરા કે નમી ગયેલા પોલને વ્યવસ્થિત કરવામાં આવ્યા નથી.

ભરૂચ શહેરમાં તાઉ-તે વાવાઝોડાના પગલે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો, વીજ થાંભલા સહિત સરકારી અને ખાનગી મિલકતોની પણ નુકશાન થયું હતું. શહેરના વિવિધ પોઇન્ટ, સર્કલ, મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ એડવાન્સ ટેકનોલોજીના લગાવેલા કેમેરાઓ સાથે તેના ઉભા કરાયેલા થાંભલાઓને પણ નુકશાન થયું છે.

Advertisement

શહેરના કેટલાક સ્થળો અને સર્કલો ઉપર તાઉ-તે વાવાઝોડામાં નમી ગયેલા કે ફરી ગયેલા CCTV હજી પણ જૈસે થે હાલતમાં નજરે પડી રહ્યા છે. જ્યારે એક-બે સ્થળે તો તેના પોલ અને કેમેરાને પણ નુકશાન થયું હોવાનું જણાય રહ્યું છે. વાવાઝોડામાં CCTV ની દશા અને દિશા ફરી ગઈ હોય તેને વહેલી તકે દુરસ્ત કરાઈ તે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બન્યું છે. પરંતુ ભરૂચના તંત્ર દ્વારા હાલ કોઇ કામગીરી હાથ ધરવામા આવી નથી.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

રાજપીપળાના તબીબોએ ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાની જિંદગી બચાવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : લખી ગામમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકલ યુવાનોને રોજગારી ન આપતા તેમજ પ્રદૂષણ ફેલાવવાનાં મુદ્દે ગામલોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!