Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના 143 જેટલા કેન્દ્રો પર વેકસીનેશન મહા અભિયાન યોજાશે.

Share

ગુજરાત રાજ્યમાં વેકસીનેશન મહાઅભિયાનનો 21 જૂનના યોગ દિવસના રોજથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે ભરૂચમાં પણ મહાઅભિયાનનો પ્રારંભ થનાર છે જે સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કલેક્ટરે વેકસીનેશનના મહા અભિયાનના આયોજન કરતા નોડલ અધિકારી અને તાલુકાના સર્વે અધિકારીને યોગ્ય વ્યવસ્થાપન કરી પ્રજાજનોને કોઇ પણ અડચણ ના પડે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. જેમાં 18 થી 44 વયના અને 45 થી વધુ દરેક વ્યક્તિ માટે વેક્સિનેશનના મહાઅભિયાન જિલ્લાના નવ તાલુકાઓના 143 કેન્દ્રો પર પ્રારંભ કરવામા આવશે.

Advertisement

આ પૈકીના ભરૂચમાં – 04, આમોદના -02, અંકલેશ્વર – 04, હાંસોટ -02, જંબુસરમાં -03, ઝઘડિયામાં -03, નેત્રંગમાં- 03, વાગરામાં-02 અને વાલિયામાં – 02 મળીને કુલ – 25 તાલુકા કેન્દ્રો પર શુભારંભ થશે. જેમાં સ્થાનિક આગેવાન સહિત પદાધિકારીઓ હાજર રહશે.

રિધ્ધી પંચાલ,ભરુચ.


Share

Related posts

મોટામિયા માંગરોલ ખાતે જનરલ ઓબઝરવર ડૉ.કંચન વર્મા (IAS),એ EVM મશીન સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની લીધી મુલાકાત.

ProudOfGujarat

માતાએ બાળક માટે કાઢ્યો આવો ‘જુગાડ’, સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ.

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!