Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈએ વાવાઝોડાને પગલે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વિજપુરવઠો ન મળતા જી.ઈ.બી. ને પત્ર લખી રજુઆત.

Share

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ત્રણ-ચાર દિવસ દહેશત મચાવી હતી. જેને કારણે લોકોને ઘણું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. વાવાઝોડાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને કારણે હાલ સુધી પણ ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં વીજ અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. છેલ્લા 10 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખેતીની વીજળી મળતી નથી જેને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા સહિતના તાલુકાઓમાં પણ ખેતીના ફીડરો ઉપર વીજળી ન મળવાથી ખેડૂતોનો વાવાઝોડામાં થોડો ઘણો બચેલો પાક પણ નષ્ટ થઈ રહ્યો હતો. જેને કારણે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલ ખેડૂતોનો પક્ષ મૂકી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વીજ પ્રવાહ સત્વરે ખેતી માટે શરૂ કરવા પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. વધુમાં ઝઘડિયા તાલુકાના ધારોલી અને અવિધાના 66 કેવી સબ સ્ટેશનો તૈયાર હોવા છતાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવેલ નથી તેણે પણ ત્વરિત શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

વાંકલની શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ગુજરાતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ શરૂ કરશે કોવિડ-19 ન્યાયયાત્રા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!