Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મિલેનીયમ માર્કેટ પાંચબત્તીને જોડતા રસ્તા પર 66 કેવીની લાઈન નાંખતા તૂટી ગયેલા રસ્તાનું સમારકામ ન થતા રહીશોને હાલાકી.

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર ખોદકામને લગતું કામ થતું રહેતું હોય છે ક્યારે ગટરો માટે ખોદકામ તો કયારે અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા 6 મહિનાથી ડી. જી.વી. સી. એલ દ્વારા ઘણા સમયથી લાઈન બાબતે ખોદકામ કરવા છતાં હાલ કામ પૂરું કરવામાં આવ્યું નથી.

ભરૂચ જિલ્લાના આચારજીથી મિલેનીયમ માર્કેટ પાંચબત્તી સુધી અંદાજિત 6 મહિના પહેલા ડી.જી.વી.સી. એલ કંપની દ્વારા 66 કેવી લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે સમય દરમિયાન રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવ્યું હતું જેને લીધે છેલ્લા 6 મહિનાથી આચારજી વિસ્તારના રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : ગૌ તસ્કરોને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના નેતૃત્વમા ગુજરાતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

ભરૂચના દહેજ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત અન્ય એક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!