Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામનાં આશા વર્કરોને મહેનતાણું ન મળતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝનોર ગામનાં આશા વર્કરોને પૂરતો પગાર ન મળતા તમામ વર્કરોએ આજરોજ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ આવેદનમાં જણાવ્યુ છે કે અમે કોવિડ-૧૯ ના સમયગાળામાં જીવનાં જોખમે કોરોનાનાં દર્દીઓની સેવા કરીએ છીએ, અમે અમારા પરિવારની પરવાહ કર્યા વિના કોરોના દર્દીઓની દિવસ રાત સેવા કરતા હોય તેમ છતાં સરકાર દ્વારા અમોને પૂરતું મહેનતાણું ન ચૂકવાતા અમારા દ્વારા તા.૨૪/૫/૨૦૨૧ નાં રોજ કલેકટર સમક્ષ લેખિતમાં માંગણી કરવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા આશા વર્કરો જેવા નાનાપાયા પર કામ કરતાં લોકોને પગાર ન ચૂકવાતા હોય આથી આજરોજ ઝનોરનાં આશા વર્કરોએ સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવી પડે છે. સરકાર દ્વારા નાનાપાયાનાં કાર્યકર્તા લોકો માટે પગારની ચુકવણી ન કરવામાં આવતા આજે આશા વર્કરોને રોડ પર ઊતરવું પડે છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

ભરૂચ માંડવા ટોલટેક્ષથી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળા : જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાનાં ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!