Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

Share

હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી કોરોના કુદકેને ભૂસકે વધતી જાય છે. ગુજરાત રાજયમાં કોવિડ-19 નાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેવામાં ભરૂચ જીલ્લામાં પણ કોવિડ-19 નાં કેસો વધી રહ્યા છે જેને અનુલક્ષીને ભરૂચ જીલ્લા આહીર સમાજ દ્વારા હંગામી ધોરણે રંગુન જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.

ભરૂચનાં આહીર સમાજનાં અગ્રણીઓની આજે એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સમાજનાં ભામાશા દ્વારા કોવિડ કેર સેન્ટરનો અને સમાજનાં જરૂરિયાતમંદ પરિવારમાં જો કોરોના પોઝીટિવ થાય કે કોઈ વ્યક્તિને ઓક્સિજન બેડ કે વેન્ટીલેટરની જરૂર પડે તો ભરૂચ તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો રંગુન જનરલ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. અહીં દર્દીને આઇસોલેશનની પણ સગવડ આપવામાં આવશે. આહીર સમાજનાં યુવકો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

નગરપાલિકાઓ બાદ હવે ભરૂચ જિલ્લાની તાલુકા પંચાયતો માટે કસરત શરૂ…

ProudOfGujarat

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023 માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33% વૃદ્ધિ નોંધાવી

ProudOfGujarat

વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓમાં એક રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!