Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અને કોંગ્રેસનાં આગેવાનનાં પત્નીનું કોરોનાનાં કારણે મોત…

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યા તો વધી રહી છે તેવામાં મૃત્યુદરમાં પણ કોઈ ઘટાડો જોવા મળતો નથી. આજે ભરૂચમાં બે વિશેષ મહિલાના કોરોનાથી મૃત્યુ થયા છે.

આ બનાવની અંગત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન એવા નિખિલભાઈ શાહનાં પત્ની ભદ્રિશા શાહ છેલ્લા લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર બાદ આજે વહેલી સવારે તેઓ કોરોના સામેની જંગ હાર્યા હતા અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

તેમજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અસમાબેન શેખ પણ ટૂંક સમય પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા, કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ છેલ્લા 12 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.


Share

Related posts

જામનગર-વિજાપુરા વિદ્યાસંકુલના છાત્રો ગુજરાતમાં પ્રથમ..જાણો વધુ

ProudOfGujarat

જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો પર કરેલા લાઠીચાર્જના મામલે વિરમગામ સહિત સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ.પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના કાર્યક્રમમાં અંદાજે રૂા.૧૯.૯૫ કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!