Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાના યથાવત, ૨ દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ ને પાર પહોંચી રહ્યો છે, ગઇ કાલે સવારથી રાત્રી સુધી ૨૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, છેલ્લા બે દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહના અંતિમક્રિયા કોવિડ સ્મશાનમાં કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૭૫૦ થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષ થી વધુ ઉંમરના વ્યક્તિઓના ટપો ટપ મોતથી હાહાકાર મચ્યો છે તો બીજી તરફ કોરોનાનાં પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

મંદિર પરિસરમાં લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી અને ગેરકાયદેસર જીમ શરૂ કરાતા પો.કમિ.શ્રી ને આવેદન

ProudOfGujarat

દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો, LNJP દાખલ મહીલામાં મળ્યું સંક્રમણ.

ProudOfGujarat

કોરોના રૂપી અંધકાર સામે દેશ વાસીઓની એકતારૂપી પ્રકાશના વિજય સંદેશ આપવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આહવાનને ઉમળકા ભેર વધાવીને વાંકલ ગામ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!