Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના મુદ્દે સ્થિતી વિકટ, કામ વગર ઘરની બહાર નીકળવું જોખમ સમાન, મૃત્યુ આંકમાં ધરખમ વધારો…!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને લઇ સ્થિતી ખૂબ વિકટ બની રહી છે, જિલ્લામાં કોરોના પોઝીટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાન અને વિવિધ કબ્રસ્તાનોમાં કોરોના પ્રોટોકોલ આધીન અત્યાર સુધી 1000 થી વધુ લોકોના અંતિમક્રિયા અને દફનવિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં છેલ્લા ૧૦ દિવસમાં કોવિડ પ્રોટોકોલ આધીન 115 જેટલા મૃતદેહને અગ્નિદાહ અપાયા છે, અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલથી થતા અંતિમ સંસ્કારનો આંકડો ૬૨૫ પાર પહોંચ્યો છે જે બાબત ખૂબ ચિંતાજનક કહી શકાય તેમ છે, કોવિડ સ્મશાન ખાતે સવાર પડતા જ મૃતદેહની લાઇન લાગે છે તો તંત્રના ચોપડે કોવિડથી મોતનો આંકડો અત્યાર સુધી 33 પર જ બતાડવા આવ્યો છે.

Advertisement

મુસ્લિમ સમાજમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૦ જેટલા લોકોના મોત થતા તેઓની વિવિધ કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન દફનવિધિ કરવામાં આવી છે, જેમાં અત્યારસુધી મુસ્લિમ સમાજમાં 400 થી વધુ લોકોના મોતનું અનુમાન સામે આવ્યું છે.

આમ કોવિડ પ્રોટોકોલથી જિલ્લાના કબ્રસ્તાનમાં અને કોવિડ સ્મશાનમાં થતી અંતિમક્રિયા અને દફન વિધીના કુલ આંકડો ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં ૧૦૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે, તંત્ર ઓડિટના કારણે આંકડા છુપાવી રહ્યાની પણ ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે અને આ તમામ મોત પાછળ અન્ય કોઈ બીમારી દર્શાવી આંકડાઓ અપડેટ ન થતા હોવાની માહિતી પણ સામે આવી છે.


Share

Related posts

રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

25 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ, જાણો તેનો ઈતિહાસ

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!