Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું.

Share

આમોદ તાલુકાનાં ઈખરનાં પનોતા પુત્ર અને જાણીતા કવિ શ્રી અફસોસ ઈખરવીના ઘરે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક નાનકડા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટામિયા માંગરોલની ગાદીવાળા મતાઉદ્દીન પીરઝાદા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કવિ સંમેલનની શરૂઆત ભરૂચથી પધારેલા ઉભરતા નવોદિત કવિ જતીન પરમારના કાવ્ય પઠનથી થઇ હતી.

જંબુસરથી પધારેલા તાલિબ જંબુસરીએ ગુજરાતી અને ઉર્દૂ શેરો-શાયરી રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ ટંકારીયાના કવિ યકીન ટંકારવી તેમનું કાવ્યપઠન કર્યું, સ્થાનિક કવિ મહેબુબ ઈખરવીએ બે કલાક ચાલેલા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

યજમાન કવિ મહોદય અફસોસ ઈખરવીએ પણ પોતાની ભાવનાત્મક લાગણીસભર રચનાઓ દ્વારા શ્રોતાઓના દિલ જીત્યા હતા જગદીશભાઈ પરમાર તથા સલીમભાઈ સેગવાવાળાએ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. અંતે ડૉ. મતાઉદ્દીન પીરઝાદા સાહેબની દુઆઓ સાથે અને સાહિત્ય અને જીવન જીવવા માટેના માર્ગદર્શન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપલા સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાકડાની તંગી…!!!

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે APMC કોસંબાને મુખ્યમંત્રીનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર ની જી.આઈ.ડી.સી.માં પ્રદૂષણનું પાપ પીવાના પાણીની લાઈનમાં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!