Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં શનિવારે રાત્રીના નબીરએ મોહદ્દીસે આઝમે હિન્દ, નાયબ સજ્જાદનસીન દરગાહે મોહદ્દીસે આઝમે હિન્દ, તાજજુલ ઉલેમાના તખલ્લુસથી ઓળખાતા હઝરત સય્યદ નૂરાનીમીયા અશરફિઉલ જીલાની કિછૌછવી ટંકારીઆની એક દિવસની મુલાકાતે પધાર્યા હતા. તેમના નજીકના મુરીદની માતાના ફાતેહામા પધારેલા તાજજુલ ઉલેમાએ ગતરોજ ઈશાની નમાજ બાદ ટૂંકું પ્રવચન કર્યું હતું.

તેમણે કોવિદ ૧૯ માં અવસાન પામેલા મર્હૂમોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કોવિદ ૧૯ સમગ્ર વિશ્વ પરથી નેસ્તનાબૂદ થઇ જાય તેવી દુઆઓ ગુજારી હતી. તેમણે તેમના પ્રવચનમાં આ મહામારીના ફાયદાઓનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મોમીનો અલ્લાહની દરગાહમાં સજ્દારેજ થઇ ગયા અને અસ્તગફારની કસરત સાથે અલ્લાહ પાસે ગુનાહોની તૌબા કરતા થઇ ગયા જે આ મહામારીનો ફાયદો ગણાવ્યો હતો. તેમણે દુનિયાથી ઉમ્મીદો ઓછી કરી પોતાના આમાલોને સાફસુથરા બનાવી ગફલતોને દૂર કરી આ ફાની દુનિયાની મહોબ્બત છોડી આખેરતના ભાથાની તૈયારીઓમાં લાગી જવા હાકલ કરી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

પરત આવી જા મમ્મી….ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી, ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!