Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજથી પાંચ કિમીનાં અંતરે આવેલા આમોદ તાલુકાનાં ઇખર ગામમાં આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમમાં નારણભાઈ ઓડે ભાજપ સરકાર અદાણી અને અંબાણીની સરકાર હોવાના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ પક્ષ માત્ર ખેડુતો અને ગરીબોની સરકાર છે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્ય આગેવાન દલપત વસાવાએ ખેડુત બચાવો દેશ બચાવોની વાતથી પોતાની વાત ચાલુ કરી હતી કહ્યું કે બેરોજગારી, ગરીબી, ખેડુતોના પ્રશ્નો માટે તાનાશાહ સરકારને હટાવી કોંગ્રેસ પાર્ટીના ઊભા કરેલા ઉમેદવારને મત આપી ફરી કોંગ્રેસની સરકાર બનાવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતો જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે તેને કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે અને વધુમાં તેમણે સરકારે ખેડૂતો માટે જે કાયદા પસાર કરેલા છે તેની માહિતી પણ આપી કે આ કાયદો શું છે.

આ સંવાદ કાર્યક્રમમાં GPCC ના કારોબારી સભ્ય અને ડેડીયાપાડાના પ્રભારી, તાલુકા પ્રમુખ ઉસ્માન ભાઈ મિડી, કોંગ્રેસ અગ્રણી મેહબૂબ કાકુજી,
તાલુકા પંચાયતના પ્રભારી નારણભાઈ ઓડ, ઠાકોર ભાઈ, તાલુકા ઉપ પ્રમુખ ઇકબાલ એસ.ટી.ડી, ભરત ભાઈ તેમજ લોકસરકાર પ્રમુખ જકવાન જાલ હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગ્સનો પ્રવેશ :વાગરાના કેરવાડામાં એક જ ઘરના બે સભ્યોને વડોદરા એસ. એસ. જી ખાતે ખસેડવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ: શેરપુરાના એક યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!