Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

Share

ભરૂચમાં કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ વસાવાની આગેવાનીમાં વાલિયા મામલતદાર કચેરી ખાતે સરકારનાં કપાસ લેવાના ધારાધોરણ બદલાવનાં વિરોધમાં એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાલિયાનાં ખેડૂતોએ પકાવેલ કપાસની ખરીદી લધુત્તમ પાયે ચાલુ હોય આ વિસ્તારનાં ખેડૂતોની પરિસ્થિતી અત્યંત દયનીય છે. અહીં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, ડેડીયાપાડા, માંગરોળ, સાગબારાનાં ખેડૂતો અત્યંત ગરીબી અને પછાત વિસ્તારમાં વસવાટ કરતાં હોય છે. તેમની પાસે કપાસનું વાવેતર કરી તેના સંગ્રહ માટે ગોડાઉનની પણ વ્યવસ્થા નથી હોતી આથી આ ખેડૂતો કપાસ વેચવા માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ કપાસ લેઈ તો એ.પી.એમ.સી. નાં માધ્યમથી ખેડૂતોને કપાસ વેચાણમાં વધુને વધુ સારા ભાવ મળી રહે અને કપાસની ખરીદી વધારવા વાલિયા મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે કોંગ્રેસ પ્રમુખ રાકેશ વસાવા, યુવા કોંગ્રેસ મહામંત્રી સુરેન્દ્રસિંહ અટોદરિયા, સુધીરસિંહ અટોદરિયા, રણજીતસિંહ અટોદરિયા, ધર્મેન્દ્રસિંહ મહિડા, બિપિનભાઈ વસાવા, હિતેન્દ્રસિંહ ખેર, અરવિંદભાઈ વસાવા સહિતનાં કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : રસ્તા પર ખાડા પડવાથી વધતાં જતાં અકસ્માતો અંગે પોલીસતંત્રની અનોખી સલાહ જાણો કઈ ?

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!