Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

Share

ભારત બંધનાં એલાનને ભરૂચનાં અનેક સંગઠનોએ અને વેપારીઓએ બંધ પાડવા અપીલ કરી હતી તેવામાં જેની પર મુખ્ય બંધનો આધાર હતો તેવી ખેડૂતો પર આધારિત ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી. માં વડદલા એ.પી.એમ.સી. પર બંધની કોઇ નોંધપાત્ર અસર જણાઈ ન હતી.

જયારે મહંમદપુરા સ્થિત ખેડૂત ઉતપન્ન બજાર સમિતિનાં વેપારીઓ બંધનાં એલાનમાં જોડાતા એ.પી.એમ.સી. સદંતર બંધ જોવા મળી હતી. જયારે ભરૂચ જિલ્લામાં પણ મોટા ભાગનાં વેપારીઓ બંધમાં જોડાયા હતાં.

ભરૂચ જિલ્લાનાં ભરૂચ સહિતનાં નગરોમાં અને મોટા ગામોમાં ભારત બંધનાં એલાનને મિશ્ર પ્રત્યાઘાત સાંપડયા હતાં. તેમ છતાં ભાવનાત્મક અને મોરલ કે રાજકીય રીતે જોતા ભરૂચ પંથકમાં ભારત બંધને ધારણા કરતા વધુ સફળતા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

Share

Related posts

કેવડિયા પોલીસે 12 સ્થાનિક આગેવાનો સામે ફરિયાદ નોંધાતા કેવડિયા ગામ સ્વયંભૂ બંધ.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

લીંબડીની મોડેલ સ્કૂલ ખાતે જીલ્લા કલેકટરે ચુંટણીની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!