Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં જલારામ જ્યંતીની ઉજવણી કરાઇ…

Share

આજે જલારામ બાપાની 221 મી જન્મ જ્યંતીની ઉજવણી ભરૂચ પથકમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. અલબત્ત કોરોના મહામારીનાં પગલે મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યા ન હતા તેમ છતાં ભરૂચ પંથકનાં દરેક વિસ્તારમાં જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં હનુમાન શેરીમાં આવેલ હનુમાનજી મંદિરમાં જલારામ જ્યંતી નિમિત્તે જલારામબાપા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભરૂચનાં કસક જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે આરતીનું આયોજન કરવામાં આવેલ હતું

અને પૂજા કરવામાં આવેલી હતી તેમજ ભાવિ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ વર્ષે કોરોના મહામારી નિમિત્તે પ્રસાદનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. આમ ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં આવેલ જલારામ મંદિરો ખાતે તેમજ અન્ય મંદિરો ખાતે પણ જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : પોલીસનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરનારને પોલીસ ચોકી પર લાવતા વકીલાતનો રોફ જાળી પોલીસ સામે દાદાગીરી કરતા મામલો ગરમાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષિકા દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!