Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલ ઝડપથી સાજા થાય તે માટે મહામૃત્યુંજય મંત્રનાં જાપ અને યજ્ઞનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને રાજયસભા સાંસદ અહેમદભાઈ પટેલની નાદુરસ્ત તબિયતનાં પગલે જિલ્લામાં ચિંતાની લાગણી ફેલાઈ ગઇ છે. સાંસદ અને લોકપ્રિય નેતા અહેમદભાઈ પટેલ અનહદ લોકપ્રિયતા ધરાવે છે તેથી તેમની તબિયત ઝડપથી સુધરે તે માટે ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ભરૂચનાં સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યસભાનાં સાંસદ અહેમદભાઈ પટેલનાં સ્વાસ્થય અને દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રના જાપ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યોકરો હોદ્દેદારો દ્વારા મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરવામાં આવ્યા હતા.

હાલ અહેમદભાઈ પટેલ બીમાર હોય તેમની તબીયત સુધરે તે હેતુસર મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા,વિક્કી શોખી, નાઝુ ફડવાલા,હેમેન્દ્ર કોઠીવાલા, સંદીપ માંગરોલ અને અન્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદના વસો તાલુકામાં એન્ટી ટોબેકો રેડ કરી ૧૧ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

ProudOfGujarat

અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં POP ની 5 જેટલી શીટ ધરાશાયી

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મોલ પાસે ટોપ એફ.એમ ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!