Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

Share

કોરોનાનો કહેર યથાવત છે કોરોનાનાં ભયનાં કારણે જનતામાં જે ગેરસમજો ઉભી થઇ છે તેને દૂર કરી, સંક્રમણને ફેલાવો થતા રોકવા માટે જનજાગૃતિ અને જાત તપાસ જરૂરી છે તે બાબતે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગ્રામ જનોની ઘરે ઘરે તપાસ અને સ્ક્રીનીંગ કરવામાં આવશે.

કોરોનાને ફેલાતો રોકવાના આશયથી તા. 17-10-2020 શનિવારે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગ્રામ્યજનોની ચકાસણી કરી જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર દવા આપવામાં આવશે અને યોગ્ય સારવાર મળી રહે તેવા આશયથી આખી ટીમ હાજર થશે.

Advertisement

આ કાર્યને અંજામ આપવા સવારે 8 કલાક થી વેલ્ફેર હોસ્પિટલની જુદી જુદી ટીમ ઝંઘાર ગામના ઘરે મહોલ્લામાં સેવા આપવા હાજર રહેશે ત્યારે તેનો પૂરો લાભ લઈ, અન્ય ગ્રામ્ય જનોને પણ લાભ મળે તે મુજબ દરેક ગામજનોએ યુવાનો વડીલોએ સહકાર આપવો એવી અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર ખાલિદ અને અન્ય આગેવાનો સાથે ડોક્ટર્સની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરેલ છે તેમાં ગામના દરેક લોકોને હાજર રહેવા સવારે 10 કલાકે મદરેસા હોલમાં રાખેલ છે જેમાં આમંત્રણ આપવામાં આવે છે.


Share

Related posts

PMO 15’દિમાં જણાવે વિદેશથી કેટલું કાળું નાણું પાછું આવ્યું, લોકોના ખાતામાં કેટલા જમા કરાવ્યાઃ માહિતી પંચ

ProudOfGujarat

દહેજમાં યશસ્વી રાસાયણિક કંપનીમાં બનેલ હૃદય કંપાવતી ઘટના અંગે રાજ્ય સભાના સભ્ય અહમદભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું

ProudOfGujarat

લીંબડીની અવધપુરી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રેસ્કયુ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!