Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સિલ કરવામાં આવી જાણો કેમ ?

Share

ભરૂચ નજીક આવેલ સરોવર કાઠીયાવાડી હોટલને સીલ કરવામાં આવી હતી. સરોવર હોટલને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસમાં સરોવર હોટલને વિવિધ બાબતો અંગે 4 લાખ કરતાં વધુ રકમ જમા કરવાની હતી. ત્યારબાદ તેને બાંધકામ અંગે પરવાનગી આપવામાં આવનાર હતી પરંતુ પરવાનગી વગર બાંધકામ કરી દેવાતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા સરોવર કાઠીયાવાડી હોટલને સીલ કરી દેવામાં આવી હતી. પરંતુ આ હોટલને સીલ કરાયા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બૌડાના ધોરણો અને નિયમનાં કાટલાંઓ બદલાયા કરે છે. પરવાનગી વગરની ઘણી મિલકતો ભરૂચમાં આવેલ છે જેની સામે કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે બૌડા ખાતે લેતીદેતીનો રિવાજ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિનચેપી રોગોનું સ્કેનિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચની નર્મદા ચોકડી પર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતા દંડ બાબતે ટ્રાફિક પોલીસમાં કરણી સેનાની રજુઆત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!