Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

આજરોજ ભરૂચથી અંકલેશ્વર તરફના છેડે નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવા મળ્યો હતો. આ યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાનાં કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક સુસાઇડ નોટ પણ મળી આવેલ છે જેમાં જણાવ્યા અનુસાર આ યુવાનનું નામ નરેશ રમણભાઈ પરમાર હોવાનું લખ્યું છે તથા 23, ભગવતી સોસાયટી, સાણંદનો રહેવાસી હોવાનો ઉલ્લેખ કરેલ છે અને મોબાઈલ નંબર પણ લખેલ છે અને તેને તેના નામની સહી પણ કરેલ છે.
સુસાઇડ નોટમાં ઉલ્લેખ અનુસાર નરેશ પરમારએ જીવનથી કંટાળીને હારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે અને પોતાના મોત માટે કોઈપણ વ્યક્તિને જવાબદાર ગણવો નહીં તેમ જણાવ્યુ છે તથા પોતાને માફ કરવા પણ જણાવ્યુ છે. નર્મદા નદીમાં લાશ જોતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

MKGM કંડારી માનવ કેન્દ્ર જ્ઞાન ખાતે અંગ્રેજી માધ્યમમાં (CBSC ) અભ્યાસ કરતા પ્રાર્થના દેવેન્દ્રસિંહ પરમારે રાઇફલ શૂટિંગમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભરૂચ નું ગૌરવ વધાર્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!