Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આવ્યું હતું કે સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ ત્રણ કાળા કાયદા બિલ સામે વાંધો નોંધાવા અને આ બિલ પાછા ખેંચી લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ કાયદામાં કૃષિ ઉત્પાદન અને વેપાર વાણિજયક વિધેયક, કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક તેમજ કૃષિ સેવા કરાર વિધેયક નામનાં ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે જેના વિરોધમાં ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનાં ખેડૂતો વતી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે પોતાની જમીનમાં જ ખેડૂતો મજૂર બની જાય છે તેમજ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

કર્તવ્ય નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ:સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સુધી નોકરી કરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આઈએમએ, હોમિયોપેથિક-આયુષ ડોક્ટર્સ એસોસિયેશનનાં પ્રતિનિધીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તાશ્રી.

ProudOfGujarat

ભરૂચ : ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!