Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ સતત ચાલુ, પ્રોટેકશન વોલ કયારે બનાવવામાં આવશે તેની ચાલતી ચર્ચા.

Share

ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીનાં સતત તીવ્ર વહેણ તેમજ વારંવાર આવતા પૂર અને ભરતીનાં પાણીનાં પગલે નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે. આવું જ ધોવાણ ઝાડેશ્વર તાલુકાનાં ગામો પાસેથી વહેતી નર્મદા નદી કિનારાની જમીનોનું થયું હતું. પરંતુ ત્યાં પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તરફનાં કિનારાની જમીનોનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે તે અંગે ખેડૂતોએ ભૂતકાળમાં આવેદનપત્ર પણ પાઠવ્યા હતા. એક તબક્કો એવો પણ આવ્યો હતો જયારે પ્રોટેકશન વોલ બનાવવા મંજૂર કરી દેવામાં આવી હતી અને કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર કામકાજ બંધ રહેતા આ વર્ષે નર્મદા નદીમાં પૂરનું પાણી આવતા અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ થયું છે ત્યારે આ વિસ્તારમાં પ્રોટેકશન વોલ બાંધવા અંગેની માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઈ કરવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

ProudOfGujarat

પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા: જાણો કેટલો થયો વધારો

ProudOfGujarat

નશામાં ધૂત બનેલા નબીરાઓની કાર ઝાડ સાથે અથડાઇ, દારૂની બોટલો જાહેરમાં ફેંકી: પૂરી ઘટના સીસીટીવી માં કેદ થઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!