Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચ રેલ્વેતંત્ર દ્વારા કસક ગરનાળાનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. જેથી તા.3-9-2020 નાં રોજ એક દિવસ માટે કસક ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે.

જે અંગે અગાઉથી સૂચના આપી હતી તેમ છતાં આજે કેટલાક વાહનચાલકો કસક ગરનાળાથી થઈને જવાનો પ્રયાસ કરતાં હોવાનું જણાયું હતું. તંત્ર દ્વારા કસક ગરનાળું બંધ કરાતા પાંચબત્તીથી શક્તિનાથ થઈ ભૃગુઋષિ ઓવરબ્રિજ થઈને પસાર થવાનો વાહનચાલકોને વિકલ્પ આપવામાં આવ્યો છે જેથી આજે ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કસક ગરનાળા પર અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર બંને તરફ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કેટલાક નોકરિયાતોને નોકરીનાં સ્થળે સમયસર જઈ શકયા ન હતા. આ ઉપરાંત વેપારીઓ પણ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.

ProudOfGujarat

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન કેન્દ્રીત કરી ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!