Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

Share

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે જેના પગલે તંત્ર અને ખેડૂતોમાં હાશકારાની લાગણી જણાય રહી છે. પરંતુ પૂર ઓસર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે. આમ પણ સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં ભરૂચનો નંબર પાછળ ધકેલાયો છે જે સાબિત કરે છે કે સ્વ્ચ્છતા અંગે નગરપાલિકા તંત્ર ઉદાસીન છે. હવે જયારે ફુરજા, કતોપોર દરવાજા, ચાર રસ્તા, ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરે વિસ્તાર તેમજ ભૃગુઋષિ મંદિર અને શનિદેવ મંદિર પાસેથી નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કાદવ કીચડની ગંદકી ફેલાય ગઈ છે જે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે તેમજ રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે હરીશભાઈ વસાવા (વાડી )ની નિમણુક કરવામાં આવી.

ProudOfGujarat

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

સુરતમાં મનપાનો ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ’ પ્રોજેક્ટ ધૂળમાં! જાળવણીના અભાવે ઘણી સાઇકલ ભંગાર બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!