Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

Share

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે જેના પગલે તંત્ર અને ખેડૂતોમાં હાશકારાની લાગણી જણાય રહી છે. પરંતુ પૂર ઓસર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે. આમ પણ સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં ભરૂચનો નંબર પાછળ ધકેલાયો છે જે સાબિત કરે છે કે સ્વ્ચ્છતા અંગે નગરપાલિકા તંત્ર ઉદાસીન છે. હવે જયારે ફુરજા, કતોપોર દરવાજા, ચાર રસ્તા, ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરે વિસ્તાર તેમજ ભૃગુઋષિ મંદિર અને શનિદેવ મંદિર પાસેથી નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કાદવ કીચડની ગંદકી ફેલાય ગઈ છે જે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે તેમજ રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

ProudOfGujarat

સુરતના રાંદેરમાં ધર્મના આધારે શેલ્ટર હોમનું સંચાલન થતું હોવાની ફરિયાદને પગલે હોબાળો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ રીગલ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાન સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!