Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સરદાર સરોવર ડેમમાંથી અત્યાર સુધી 11 લાખ કરતાં વધુ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને અન્ય વિસ્તારોનાં વરસાદી પાણીની આવક ડેમમાં થતાં ડેમ ઓવરફલો થવાની સંભાવના હતી. અત્યાર સુધી 11 લાખ 26 હજાર કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવી ચૂકયું છે. હજીપણ પાણી છોડવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અગાઉ ડેમ ઓથોરિટીએ ભરૂચ વહીવટીતંત્રને આ અંગે જાણ કરી સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યુ હતું. ભરૂચ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જીલ્લામાં 30 ગામો સહિત ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા હતા. અત્યારસુધી ચાર હજાર કરતાં વધુ માનવીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હજી લોકો આશ્રય સ્થાનોમાં છે. ભરૂચ જીલ્લામાં છ આશ્રય સ્થાન અને અન્ય વિસ્તારમાં પણ વિવિધ આશ્રય સ્થાન ઊભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રભાવિત 30 ગામની સીમમાં આવેલ ખેતરોમાં કેટલું નુકસાન થયું તેનું સર્વે પૂરાનાં પાણી ઉતર્યા બાદ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા આહિર સમાજનો સાતમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર બસ ડેપો ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગ્રંથા – અંકલેશ્વર સ્ટોપની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!