Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

Share

ભરૂચ નજીક રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ ગોલ્ડન બ્રિજ પાસે છાપરા પાટિયા પાસેની ખાડીનાં પાણીમાં મગર જણાયો હતો. ખાડીમાં મગર જણાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

છાપરા ગામની સીમમાંથી આ ખાડી પસાર થાય છે જ્યાં છાપરા ગામના અને આજુબાજુનાં ગામોના ખેડૂતોની જમીન આવેલ છે. ચોમાસાનાં દિવસો દરમિયાન ખેડૂતો ખેતીનાં કામ અર્થે ખેતરમાં જતા હોય ખાડીમાં મગર જણાતા ભયની લાગણી ફેલાઈ ગઈ છે. મગર જણાતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. નદીનાં પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ઠંડી નુ પ્રમાણ ઘટયુ

ProudOfGujarat

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જીલ્લાનુ 64.64 % પરિણામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!