Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

Share

ભરૂચ મહંમદપુરા સ્થિત APMC માં વિશાળ આગ લાગતાં રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રીય કિસાન સંધનાં અરવિંદસિંહ રણાએ જણાવ્યુ હતું કે આ આગનો બનાવ ખૂબ રહસ્યમય છે. વરસતા વરસાદમાં આગ લાગતાં આ બનાવ વધુ રહસ્યમય બન્યો છે. જેમાં વેપારીઓને અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ઘટના બાદ તાત્કાલિક કોઈ અધિકારી કે પદાધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી નથી. તા.17-8-2020 નાં રોજ APMC નાં વેપારીઓની બેઠક યોજાઇ હતી જેમાં આવનારા દિવસોમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બનાવ અંગે તપાસ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. સમગ્ર પંથકમાં APMC માં લાગેલ આગનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઘણા લોકોએ આ બનાવ અંગે શંકા કુશંકા વ્યકત કરી હતી. તે સાથેસાથે આ બનાવ કોઈ ષડયંત્રનો ભાગ હોય તેવી શંકા પણ વ્યકત કરવામાં આવી હતી. APMC મહંમદપુરા કોરોના મહામારી લોકડાઉનનાં સમયથી વિવાદમાં ધેરાયેલી રહી છે. જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારબાદ બંધ કરાયેલ APMC ફરી શરૂ કરવામાં આવી હતી તેના ગણતરીના સમયમાં આ આગનો બનાવ દુખદ માનવમાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો 10 માં વર્ષે મંગળ પ્રવેશ : કારોબારી અધ્યક્ષ તરીકે નવીન પટેલની વરણી, પાંચ વર્ષથી સંધને સક્રિય રાખનાર પ્રમુખ ઈદ્રીશ કાઉજીની વધુ બે વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી.

ProudOfGujarat

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

વ્યાજખોરો સામે કાયદાનું હંતર- ભરૂચ કોર્ટે વધુ એક વ્યાજખોરની જામીન અરજી ફગાવી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!