Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાનાં દેસાડ નજીક કીમ નદીમાં ધોડાપુર આવ્યું.

Share

વાલિયાનાં દેસાડ ગામ ખાતે કીમ નદીનું પાણી ફરી વળતાં જળસંકટ સર્જાયું છે. તંત્રનાં જણાવ્યા મુજબ કીમ નદીમાં ધોડાપુર આવતા તારાજીનાં દ્રશ્યો ખડા થયા છે. કીમ નદીમાં પાણીની આવક વધતાં ધોડાપૂર આવ્યા છે. તેવામાં તંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારી સતત પરિસ્થિતી પર ધ્યાન રાખી રહ્યા છે. કીમ નદીનાં કિનારા પર આવેલ વિવિધ ગામો કે જેમાં આદિવાસી ગામોનો પણ સમાવેશ થાય છે. તે તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે 6 ગામોને જોડતો રસ્તો કીમ નદીનાં પૂરનાં પગલે બંધ કરી દેવાયો છે. અચાનક આવેલ કીમ નદીનાં ધોડાપુરનાં પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ પૂરનાં પાણી વધુ વધે તે માટે સાવધાની અને સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે કીમ નદીનાં રૌદ્ર સ્વરૂપનાં પગલે માનવસહિત પશુધન બચાવી લેવા માટેનો સરકાર તંત્ર સામે ઊભું થયું છે.

Advertisement

Share

Related posts

સુરતના કામરેજમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો: સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીને મળશે લાભ

ProudOfGujarat

ઝારોળા સમાજની કુળદેવી શ્રી હિમજામાતાની ઉજાણીનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો……

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં પાર્કિંગની જમીનમાં ઝરણનાં પાણીથી બિલ્ડીંગ ધસી પડવાની દહેશત : દર્દીઓનાં જીવને જોખમ.જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!