Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ફાયરબ્રિગેડ કચેરીમાં બેસી રહેતા એક વ્યક્તિનું મોત નિપજતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા શું તે કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝીટિવ હતો ??

Share

ભરૂચ નગરપાલિકાનાં ફાયરબ્રિગેડમાં નિયમિત બેસતા અને સેવા આપતા એક વ્યક્તિનું તાજેતરમાં મોત નીપજયુ છે. આ મોત કોરોના પોઝીટિવ હોવાના કારણે અથવા તો કોરોના શંકાસ્પદ હોવાના કારણે નીપજયું હોવાની લોકચર્ચા ચાલી રહી છે. એવા સમયે ભરૂચ નગરપાલિકાનાં મુખ્ય ઓફિસર કે જેઓ પોતાની ચેમ્બરમાં CCTV માં સમગ્ર નગરપાલિકાનું કારભાર અને હિલચાલ નિહાળે છે. ત્યારે ફાયરબ્રિગેડમાં બેસતા આ વ્યક્તિ અંગેની તેમને ચોકકસ જાણ હશે જ તેવા સમયે કે જયારે કોરોના પોઝીટિવ અથવા કોરોના શંકાસ્પદ એવા વ્યક્તિનું મોત નીપજયું હોય અને મૃત્યુ પામનાર ફાયરબ્રિગેડ ઓફિસમાં નિયમિત કલાકો સુધી બેસી રહેતા હોય ત્યારે નગરપાલિકાનાં મુખ્ય ઓફિસરે ફાયરબ્રિગેડ કર્મચારીઓનાં હિતમાં તેમને નિયમ મુજબ કોરન્ટાઈન કરાવે અને તેમનું ટેસ્ટિંગ થયા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને ફરજ પર ચાલુ કરી શકાય. આ બધી બાબતો જનહિત અને નગરપાલિકાનાં કર્મચારીઓનાં હિત માટે જરૂરી છે.

Advertisement

Share

Related posts

બુટલેગરોની પસંદ પાનોલી – નશાના વેપલાનું હબ બન્યું અંકલેશ્વર..? પહેલા ડ્રગ્સ, પછી શરાબના ગોડાઉનો અને હવે પાનોલીમાં ફિલ્મી સ્ટોરીની જેમ દારૂનું કટિંગ થતું સામે આવ્યું

ProudOfGujarat

ગુજરાતમાં વરસાદ 100 ટકા થવાની નજીક છે ત્યારે જાણો જળાશયો કેટલા ભરાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના તલાટીને પંદર દિવસમાં અરજદારને માહિતી આપવા ટીડીઓનો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!