Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં ઔદ્યોગિક કંપનીઓને તેમનું CSR ફંડ વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે માટે ખર્ચ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરીએ અપીલ કરી.

Share

કોરોના મહામારી ભરૂચ જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહી છે તેથી કોરોના પોઝીટિવ દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લાનાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર, ઓક્સિજનનાં અભાવનાં પગલે કોરોના પોઝીટિવ દર્દીઓને ખૂબ સહન કરવું પડે છે. આ ઉપરાંત પણ અન્ય હૉસ્પિટલમાં પણ પૂરતી વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રણાએ અપીલ કરી છેકે ભરૂચ જીલ્લામાં કંપનીઓ પાસે CSR ફંડ છે તેનો ઉપયોગ કોરોના યુગમાં ભરૂચ જીલ્લાનાં કોરોના પોઝીટિવ દર્દીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન પૂરત પ્રમાણમાં મળે તે માટે કરવો જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે આ કોરોના યુગમાં કંપનીઓ દ્વારા ભરૂચ જીલ્લાનાં રહીશો માટે કોરોના સામે લડવા યોગ્ય સગવડ અને સવલત મળે તે માટે CSR ફંડનો સદઉપયોગ કરવો જોઈએ.

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.

ProudOfGujarat

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

પંચમહાલ : કાકણપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!