Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તા.23-7-2020 નાં રોજ સવારનાં જીવદયા ગૌ રક્ષક સમિતિનાં પ્રમુખ વિહાભાઈ ભરવાડ દ્વારા ભરૂચ ગૌરક્ષા દળ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ દક્ષિણ ગુજરાત પ્રમુખ ઝીણાભાઈ ભરવાડે વિહાભાઈને માહિતી આપી હતી કે GJ-24-U-4136 નંબરની ટ્રક ગાડીમાં 23 જેટલા પશુઓ જેમાં 19 પાડા અને 4 પાડીનો સમાવેશ થાય છે. તેમણે કીમ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જે અંગે ઝીણાભાઈ ભરવાડ તપાસ કરતાં ટ્રકમાં ખૂબ ક્રુરતા પૂર્વક પશુઓને રાખવામા આવ્યા હતા. તેમજ ધાસ પાણીની પણ સગવડ કરવામાં આવી ન હતી. આ અંગે અંકલેશ્વર સિટી પોલીસ તપાસ કરી રહી છે. હાલ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે. અત્રે નોંધવું રહ્યું કે ઝીણાભાઈ ભરવાડ ગૌ રક્ષક દળ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ દક્ષિણ ગુજરાત પ્રમુખ પશુઓને તેમજ ગૌ રક્ષા માટે સતત કામગીરી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો….

ProudOfGujarat

નવસારી પંથકમાં રાજ્ય કક્ષાની સાયકલીંગ સ્પર્ધા

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી હાઇવે ઉપર રજપૂત કરણી સેના એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં ચક્કાજામ કરી ટાયરો સળગાવી એક કાર ના કાંચ તોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!