Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં અગ્રણી,ખેડુત અને સહકારી આગેવાન અંબુભાઈ પટેલનાં નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અંબુભાઈ પટેલ નિધન અંગે રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે અંબુભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સારા ખેડુત આગેવાન હતા અને ખેડુતોના પ્રશ્નોને માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. તેઓ એક સનિષ્ઠ અને નિખાલસ સ્વભાવના આગેવાન હતા. તેમના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા આગેવાનની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલ અંબુભાઈ પટેલની માંદગી દરમ્યાન તેમના પરીવારજનો સાથે સતત સંપર્કમાં હતા. તેમણે અંબુભાઈ પટેલના નિધન થતા તેમના પરિવારજનોને સાથે ટેલીફોનીક વાત કરી સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં દબાણકર્તા પાસે જગ્યાના પુરાવા માંગતા ગળા પર છરી મુકી સ્થિતિને બાનમાં લેવાનો કરાયો પ્રયાસ.

ProudOfGujarat

વાલીયા ની સીલુડી ચોકડી પાસેથી અખાદ્ય ગોળ ના ડબ્બા ભરેલ ટેમ્પા સાથે એક ઈસમ ઝડપાયો. વાલીયા પોલીસે અખાદ્ય ગોળ અને ટેમ્પો મળી કુલ 2 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હા. નં. 48 પરથી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા ની નોટો સાથે બે શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!