Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગૌરીવ્રતનાં જાગરણનાં દિવસે છેડતીનો બનાવ બનતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય.

Share

તાજેતરમાં ગોરોનાં વ્રતનું જાગરણ હતું તે દિવસે ભરૂચ નગરમાં ગોરો કરનાર કુમારિકાઓ બાગ-બગીચા બંધ હોવાના પગલે આડોશી પાડોશીમાં બહેનપણીઓનાં ત્યાં જઇ જાગરણ કર્યું હતું. ત્યારે જાગરણ નિમિત્તે બહેનપણીનાં ત્યાં ગયેલ સગીરવયની કુમારિકા સાથે છેડતીનો બનાવ બન્યો હોવાની માહિતી સાંપડી રહી છે. આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ સગીરવયની છોકરીએ આ બનાવ આંગે વધુ વિગત આપવા હાલ પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદમાં કદાચ વધુ કલમો ઉમેરાય તેવી શંકા જાહેર કરેલ છે. અત્રે નોંધવું રહ્યું કે અગાઉનાં સમયમાં જાગરણ નિમિત્તે બાગ-બગીચા ખુલ્લા રાખવામા આવતા તેમજ કેટલા કાર્યક્રમોનું પણ આયોજન થતું પણ કોરોના મહામારીને કારણે બંધ હતા વ્રત કરનાર કુમારિકાઓ માટે જાગરણ કયાં કરવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેથી કુમારિકાઓ બહેનપણીનાં ત્યાં અથવા પડોશીના ત્યાં ભેગા મળી જાગરણ કર્યું હોવાથી માહિતી સાંપડી રહી છે ત્યારે કેટલાંક છેડતીનાં કિસ્સાઓની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે હાલ પૂરતી એ ડિવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

ProudOfGujarat

ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય: 14 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ આજરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!